જામનગરના રામપર ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા : જુવો ચોરીનો Live Video

0
4265

જામનગરના રામપર ગામમાં એક સાથે ત્રણ મંદિરના તાળા તૂટ્યા રાત્રિના સમયે તસ્કરો મંદિરમાંથી લાખોના દાગી તથા રોકડ લઈ ફરાર

  • રામપર ગામમાં તસ્કરો ત્રાટક્યા ત્રણ મંદિરને નિશાન બનાવી લાખોના દાગીના ઉઠાવી ગયા
  • Live ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલ CCTV કેમેરામાં કેદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ ફેબ્રુઆરી ૨૩ જામનગર નજીકના રામપર ગામમાં એક સાથે ત્રણ મંદિરમાં તસ્કરો ત્રાટકતા મંદિરમાંથીસોના ચાંદીના છત્તર હાર સહિત અંદાજે ત્રણ લાખની ચોરી કરી ગયા હોવાના CCTV સામ આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો

રામ પર ગામમાં આવેલ હરસિદ્ધ માતાના મંદિર, મચ્છુ માતા સહિતના ત્રણ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખોના સોના-ચાંદીના દાગીના લઇને ફરાર થઈ જતા પોલિસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

બનાવની જાણ થતા LCB તથા પંચકોશી-બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો મંદિરમાં ચોરીના પગલે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો તેવામાં મંદિરની ચોરી CCTV કમરામાં કેદ થતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.