જામનગરમાં સોની વેપારી ઉપર લુખ્ખાઓનો હુમલો : પાંચ સામે રાવ

0
4539

જામનગર: દારૂ પીવા બાબતે યુવાન ઉપર હુમલો: પાંચ શખસો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ ઓગસ્ટ ૨૩ : જામનગરના સત્યનાયારણ મંદિર નજીક સોની ફળીમાં રહેતા વિશાલ અશોકભાઇ મોનાણી નામનો યુવક ગત મોડી રાત્રે તેના ઘરે પાસે બેઠો હતો. ત્યારે વંશરાજ સહિત 5 અજાણ્યા લોકો તેના ઘર પાસે દારૂ પીવા માટે આવ્યા હતા. ત્યારબાદ અહીં દારૂ નહિં પીવા બાબતે વિશાલભાઇ સાથે બોલાચાલી કરાતાં વિશાલભાઇ પર વંશરાજ સહિત 5 લોકો દ્વારા ધોકા, પાઇપ, તલવાર વડે જીવણલ હુમલો કરાયો હતો.

ત્યારબાદ, સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઇજાગ્રસ્ત વિશાલભાઇને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના ની જાણ કરાતા સિટી-એ ડિવિઝન ની પોલીસ ટુકડી હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી, તેમજ ફરિયાદ ની તજવીજ હાથ ધરાઇ છે.