જામનગરમાં રેતીના ધંધાર્થી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

0
4920

જામનગરમાં રેતીના ધંધાર્થી ઉપર હિચકારો હુમલો: ત્રણ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ જાન્યુઆરી ૨૩: જામનગરમાં ગ્રીન સિટી-૫ માં રહેતા અને રેતી નો વ્યવસાય કરતા મહોબતસિંહ અભયસિંહ જાડેજા નામના 60 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે ઠેબા ચોકડી થી સરમત પાટીયા પાસે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા, જે દરમિયાન સાંઢીયા પુલ પાસે તેમની કાર ને રાજભા કેશુભા સોઢા નામના જોડીયા ના એક શખ્સ, ઉપરાંત લાખાણી ના જુવાનસિંહ અને તેના એક સાગરીત વગેરે ત્રણ શખ્સોએ રોક્યા હતા.

જેઓને ગાડીમાંથી બહાર બોલાવ્યા પછી તેમના પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ બનાવના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ બનાવ અંગે મોહબતસિંહ જાડેજાએ ત્રણેય હુમલા ખોરો સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.