જામનગરમાં કારખાનેદારના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: ભત્રીજાને 32 લાખના મુદામાલ સાથે પકડી પાડતી LCB

0
1745

જામનગરમાં રહેણાંક મકાનમાં રૂા.32 લાખથી વધુની ચોરીને અંજામ આપનારની ધરપકડજસ્મીન વિરાણી નામના શખસે મકાનની ડુપ્લીકેટ ચાવીનો સેટ મેળવી લઇને રોકડ સહીત 32.75 લાખની ચોરી કરી’તી..

ફુવાના ઘરમાં ખાતર પાડતો ભત્રીજો: ચાવી ચોરી કર્યું કાંડ.સ્ટાફના સંજય સિંહ વાળા,ભગીરથસિંહ સરવૈયા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપ તલાવડીયા, હરદીપભાઈ ધાંધલ (કાઠી), યશપાલસિંહ રાણાને મળેલ સંયુક્ત બાતમ રંગ લાવી તમામ મુદામાલ રીકવર કરતી ગણતરીની મીનીટમાં ભેદ ઉકેલી પ્રસંશનીય કામગીરી કરતી જામનગર LCBદેશ દેવી ન્યુઝ જામનગર O3 જામનગર: જામનગરમાં નીલેશભાઇ દોમડીયાના મકાનમાં ડુપ્લીકેટ ચાવીથી રૂા. 32.75 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરનાર જસ્મીન મનસુખભાઇ વિરાણીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહીતી મુજબ ફરીયાદી નિલેશભાઇ લવજીભાઇ દોમડીયા રહે.શીવમ પાર્ક-3 ટેલીફોન એકચેન્જ જામનગર નાઓના રહેણાંક મકાનમાં છેલ્લા છ માસ દરમ્યાન બ઼ધ મકાનના અલગ-અલગ સમય ત્રણ વખત ઓરીઝનલ કે ડુપ્લીકેટ ચાવી વડે ફરીયાદીના મકાનના તથા કબાટના લોકના દરવાજા ખોલી રોકડ રૂપીયા 30,00,000 તથા સોનાના દાગીના કિ.રૂા.2,30,000 તથા એક મોબાઇલ ફોન કુલ રૂા.32,75,000ની ચોરી કરી લઇ જવા અંગેનો બનાવ બનેલ હતો.આ ચોરીમાં સંડોવાયેલ જસ્મીન મનસુખભાઇ વિરાણી રહે.મારૂતી રેસીડન્સી ફેસ-02 સામે જામનગર મુળ ગામ ફાચરીયા તા.જી.જામનગરની ઓળખ મેળવી મજકુર હાલ જામનગર શહેરમાં ખોડીયાર કોલોની મહેર સમાજની વાડી સામે સુપર સપ્લેન્ડર મો.સા. નંબર GJ10 CP 4568 સાથે ઉભો હોવાની હકીકત મળેલ હોય જેથી પકડી પાડી પુછપરછ કરતા ફરીયાદીના મકાનની ચાવીનો એક સેટ મેળવી લઇ છેલ્લા છ માસના સમય ગાળા દરમ્યાન ચાવીથી દરવાજો ખોલી ચોરી કરેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ પો.સબ ઇન્સ. કે.કે.ગોહીલનાઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.આરોપી પાસેથી રોકડ રૂપીયા 30,00,000 (ત્રીસ લાખ રૂપીયા ) સોનાના દાગીના કિ. રૂા. 2,55,000, ચોરીમાં ગયેલ મો.ફોન-1 કિ. રૂા. 20,000 આરોપીના મોબાઇલ ફોન-1 કિ. રૂા. 50,000, સુપર સપ્લેન્ડર મો.સા. નંબર જીજે 10 સી.પી. 4568 કિ. રૂા.20,000 (ગુનામાં ઉપયોગ થયેલ) સહીતનો મુદામાલ જપ્ત કરેલ છે.
આ કામગીરી પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ રાજકોટ વિભાગ રાજકોટનાઓની સુચના તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસ.એસ.નિનામા પોલીસ ઇન્સપેકટર, પો.સ.ઇ. કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, એલસીબી સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, હરદીપસિંહ ધાંધલ, દિલીપભાઇ તલાવાડીયા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હીરેનભાઇ વરણવા, નિર્મળસિંહ એસ. જાડેજા, ખીમભાઇ ભોચીયા, અશોકભાઇ સોલંકી, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદીનાઓ દ્વારા કરવામાં આવેલ છે.