જામનગરમાં કર્મકાંડી યુવાનનો શિક્ષામાં ભૂલાયેલો થેલો કમાન્ડ કંટ્રોલરૂમ ની ટીમેં શોધી અપાવ્યો

0
2382

ખંભાળિયા થી ધોરીવાવ આવેલા કર્મકાંડી યુવાનનો શિક્ષામાં ભૂલાયેલો થેલો કમાન્ડ કંટ્રોલરૂમ ની ટીમેં શોધી અપાવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ એપ્રિલ ૨૪ જામખંભાળિયા થી ધોરીવાવ આશ્રમમાં સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ માટે આવેલા એક યુવાનનો થેલો રિક્ષામાં ભુલાયો હતો, જે થેલો જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમની ટીમેં જુદા જુદા સીસીટીવી કેમેરાઓની મદદથી રીક્ષા ચાલકને શોધી કાઢી પરત અપાવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં રહેતો પવન વિજયભાઈ રાજ્યગુરુ નામનો યુવાન કે જે ધોરીવાવ વિસ્તારમાં આવેલી આણદાબાવા સંસ્થાની સંસ્કૃતિ પાઠશાળામાં કર્મકાંડ માટે આવ્યો હતો. જે પોતાનું કામ પૂર્ણ કરીને દરેડ થી જામનગર બસ સ્ટેન્ડમાં આવવા માટે એક ઓટો રીક્ષામાં બેઠો હતો.

જે ઓટો રીક્ષામાં પોતાનો કપડાં સહિતના સામાનનો થેલો ભુલાઈ ગયો હતો. જે થેલો શોધવા માટે પવન રાજ્યગુરુએ જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. જેથી કમાન્ડ કંટ્રોલરૂમની પોલીસ ટીમેં જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા ના ફુટેજ નીહાળી રીક્ષા ને શોધી કાઢી હતી, અને તે રીક્ષા માં ભુલાયેલો થેલો પરત મેળવી લઈ, પવન રાજ્યગુરુને સુપ્રત કર્યો હતો. જેથી તેણે સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.