રેલવે કર્મચારીની સગર્ભા પત્નીનો પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત.

0
630

જામજોધપુરમા રેલવે કર્મચારીની સગર્ભા પત્ની નો પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૩. જામનગર: જામનગર જિલ્લાનાજામજોધપુરમા રેલવે કર્મચારીની સગર્ભા પત્ની એ એક પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાનુ જાણવા મળ્યુ છે જે અંગે પોરબંદર રાજકોટ રૂટની ટ્રેન ના યાર્ડ પાસેના ટ્રેક ઉપર જીંદગી ટુકાવતા અરેરાટી અને કરૂણતા સભર રહસ્ય સર્જાયુ છે.

જામ-જોધપુર માર્કેટિંગ પાર્ડ સામેથી પસાર થયેલ ટ્રેનમાં માતા પુત્રએ છલાંગ લગાવી મોતની સોડ તાણી લીધી છે અને બંનેના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે આ મરણ જનારના પતિ રેલ્વે કર્મચારી છે સસરા પણ નિવૃત રેલકર્મચારી છે

સોનલબેન યોગેશભાઈ ભેડા ઉ.વ.30નામની પરણીતા એ પાંચ વર્ષીય પુત્ર મયંક યોગેશભાઈ ભેડા. ઉ.વ.5 સાથે આપઘાત કરી લીધો છે આ મહિલા સર્ગભા હતી તેવું સુત્રો જણાવે છે.

તેમજ છ વર્ષના લગ્નજીવનમા સામાન્ય રીતે કોઇ ગંભીર બાબતો નુ કારણ હોય કે બિમારી કે કંકાસ કે બીજુ કઇ આક્ષેપ જન્ય હોય કે ગમે કારણ થી જીંદગી ટુકાવા જેવુ તે પણ એક બાળક પેટમા બીજુ આંગળીએ લઇ એ બાબત પણ આ ગામ મા તેમજ પરિવાર સ્વજનો સૌમાટે ખુબજ દુખદાયક બની રહી છે.