પતિ સાથે ઝઘડાએ લીધું ગંભીર સ્વરૂપ: પત્નીએ જીવ ગુમાવ્યો

0
1305

જોગવડમાં પતિ સાથે ઝઘડો થયાનું મનમાં લાગી આવતા પત્નિની આત્મહત્યા.

સામાન્ય ઝઘડામાં પત્ની જીવ ખોઇ બેઠી..દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર  ૦૬ લાલપુરના જોગવડ ગામમાં રહેતી નીતાબેન ધનજીભાઈ વાઘ નામની 31 વર્ષની પરિણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પોતાના મેળે બારીમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ અંગે મૃતકના પતિ ધનજીભાઈ ડાયાભાઈ વણકરે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતી પોતાના પતિ ઉપર વેમ કરતી હતી, અને પતિ પોતાની રીક્ષા ઘરની સામેની ગલીમાં ચલાવતો હોવાથી ત્યાં ચલાવવા માટેની ના પાડતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો, અને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.