જામનગરમાં વકરતા રોગચાળાના પ્રશ્ને મ્યુનિ.કમિશનરે તબીબો સાથે બેઠક યોજી

0
1215

જામનગરમાં વકરતા રોગચાળાના પ્રશ્ને મ્યુનિ.કમિશનરે જી. જી. હોસ્પિટલના તબીબો સાથે બેઠક યોજી

  • શેરીજનોનોને બોરવેલ નું નહી નળ નું પાણી પીવા અનુરોધ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ર૭ જુલાઈ ૨૪ , જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. ત્યારે આજે મ્યુનિ. કમિશનર દ્વારા જી.જી.હોસ્પિટલના તબીબો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પણ જોડાયા હતા. લોકો ને બોરવેલ નું નહી પણ નળ નું પાણી પીવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

જામનગર માં ચાંદીપુરા, કોલેરા, તાવ ,કમળો જેવા અનેક રોગના દર્દીઓનું પ્રમાણ વધુ છે. આ રોગચાળો અટકાવવામાં તંત્રના હાથ ટુંકા પડયા છે. ત્યારે વિપક્ષ નાં વ્યાપક વિરોધ પછી આજે મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી દ્દારા રોગચાળાને અંકુશમાં લેવા અંગે આરોગ્ય વિભાગ ની એક બેઠક આજે રજા નાં દિવસે બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈ, ડો. એસ.એસ. ચેટરર્જી, મહાનગરપાલિકાના ડો. ગોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અને દર્દીઓને આપવામાં આવતી સારવાર તકેદારી રાખવી ? કયાં પગલા લેવા વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ મિટીંગ પછી મીડિયાને સંબોધતા મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી એ જણાવ્યું હતું કે કોલેરા, ચાંદીપુરા, કમળો સહિત ના રોગચાળા અન્વયે ચર્ચા માટે બેઠક યોજાઈ હતી. તમામ ઝાડા-ઉલ્ટી ના કેસમાં કોલેરા હોય તે જરૂરી નથી. ચાંદીપુરા નો કોઈ કેસ જામનગર શહેર માં નોંધાયો નથી એક મૃત્યુ કેસ માં પણ રિપોર્ટ નેગેટીવ મળ્યો હતો.

છેલ્લા બે માસમાં જામનગર અને આજુબાજુના વિસ્તારમાંથી ર૪ કેસ કોલેરા નાં નોંધાયા છે. ખાસ કરીને મોહર્મ ના જુલુસ પછી ના બે-ત્રણ દિવસ પછી થોડા કેસ વધ્યા હતાં. આરોગ્ય વિભાગ નો સ્ટાફ ઘરે જઈ ને કામગીરી કરી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે , બોરવેલનું પાણી હાલના તબક્કે પીવુ હીતાવહ નથી. છતાં જરૂર હોય તો ઉકાળી ને અથવા કલોરીન કરીને જ પીવું અન્યથા મહાનગર-પાલિકા દ્વારા વિતરણ થતા સુપર કલોરીન વાળા પાણી નો પીવા માટે ઉપયોગ કરવો. ખુલ્લા ખોરાક ખાવા નહીં, રસ, બરફ અને પાણીપુરી ના અનેક ધંધા ઓ બંધ કરાવાયા છે. એકંદરે લોકો એ પણ સાવચેતી રાખવી જરૂરી છે.