ભાગીને જામનગર આવેલા પ્રેમીએ પ્રેમિકાના વિયોગમાં કરી આત્મહત્યા

0
553

જામનગરના લાવડીયા ગામમાં પ્રેમિકાના વિયોગમાં પરપ્રાંતિય યુવાનની આત્મહત્યા

જામનગરના લાવડીયા ગામના  દેવત સિહ જાડેજાની વાડીએ ખેત મજૂરી માટે આવીને રહેતા પરપ્રાંતીય યુવક ને પોતાના વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઈ ગયા બાદ બંને જામનગર આવીને રહેતા હતા તે પછી યુવતીના પરીવાર સાથે સમાધાન થઈ જતા યુવતી આંટો મારવા ગયા પછી પરત નહી ફરતાં યુવકે ઝેરી દવા પીને જીંદગીના અંત આણ્યો છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર ના ફલીયા ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના લાવડીયા ગામ માં એક ખેડૂતની વાડીમાં રહીને પોતાના ભાઈ સાથે ખેતીકામ ની મજૂરી કરતા ચામસિંઘ કાંદુભાઈ વાસકલા નામના 30 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને ગઈકાલે પોતાની વાડીમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજયું છે.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ નજબૂભાઈ કાંદુભાઈ વાસકળાએ પોલીસને જાણ ણકરતા પંચકોશી એ ડિવિઝનના પોલીસ કર્મચારી પરેશ ખાણધરે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે આ બનાવ અંગે વધુ પૂછપરછ હાથ ધરી હતી.

જે પૂછપરછમાં મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે તેના નાનો ભાઈ ચામસિંગ કે જેણે આજથી એક મહિના પહેલા પોતાના જ વતનમાં રહેતી ભુરીબેન સાથે પ્રેમ સંબંધ થયો હોવાથી તેણીના મા બાપના ઘરેથી ભગાડીને જામનગર લઈ આવ્યો હતો, અને લાવડિયા ગામ માં રહેતો હતો.

ત્યાર પછી જ્ઞાતિના રિવાજ મુજબ તેણીના માતા-પિતા સાથે સમાધાન પણ કરી લીધું હતું. તેમ છતાં આજથી 10 દિવસ પહેલા તેની પ્રેમિકા ભુરીબેન જામનગર થી પોતાના વતન તરફ ભાગી ગઈ હતી, અને પરત આવવા માંગતી ન હતી.

જેથી પ્રેમભગ્ન યુવાને ઝેરી દવા પી લઇ પોતાનો જીવ આપી દીધો છે. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.