જામનગરમાં તું જે ફ્લેટમાં રહે છે, તે ફ્લેટ અમારો છે’ તું અહીંથી નીકળી જા, તેમ કહી સાસુ મારવા દોડ્યા

0
3731

જામનગરના સેન્ટ્રલ જીએસટી વિભાગના કર્મચારીને ધાક ધમકીના પ્રકરણમાં ઉલટી ગંગા

  • પત્ની અને સાસુએ ધાક ધમકી આપી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર

  • જીએસટી ના કર્મચારી જે ફ્લેટમાં રહે છે, તે ફ્લેટ અમારો છે’ તું અહીંથી નીકળી જા, તેમ કહી સાસુ મારવા દોડ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ મે ૨૪, જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા સેન્ટ્રલ જીએસટી ના કર્મચારીને ધાક ધમકી આપવા અંગેના પ્રકરણમાં ઉલટી ગંગા જેવો ઘાટ ઘડાયો છે. જીએસટી ના કર્મચારીને તેની પત્ની અને સાસુએ ધમકી આપી મકાનમાંથી કાઢી મુકતાં મોડી રાત્રે પોલીસનો સંપર્ક સાધ્યો છે, અને પત્ની અને સાસુ સામે ધાકધમકી આપી ઘરમાંથી હાંકી કાઢવા અંગેની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે, જેથી ભારે ચકચાર જાગી છે.સામાન્ય સંજોગોમાં પતિ દ્વારા પત્ની ને ત્રાસ અપાતો હોવાથી અને ઘરમાં થી કાઢી મુકવા અંગેની મોટાભાગે પત્નીઓ દ્વારા ફરિયાદ નોંધાવાતી હોય છે, પરંતુ જામનગર ના એક જીએસટી ના કર્મચારીના પ્રકરણમાં ઉલટી ગંગા જેવો ઘાટ ઘડાયો છે.

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલા શ્લોક હાઈટસ નામના બિલ્ડીંગના ૫૦૪ નંબરના ફ્લેટમાં રહેતા અને જામનગર સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમર્સમાં નોકરી કરતા સાહિલભાઈ રાજેશભાઈ ભારદ્વાજ (૩૧) કે જેમણે પોતાને ધાક ધમકી આપી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પત્ની સુનિતા અને સાસુ જ્યોતિ સામે ફરિયાદ નોંધાવી છે.

સાહિલ રાજેશભાઈ ભારદ્વાજ કે તેઓ જામનગરમાં ઉપરોક્ત વિસ્તારમાં પોતાના પત્ની સુનિતાબેન સાથે રહે છે. તાજેતરમાં તેના સાસુ જ્યોતિબેન થોડા દિવસથી અહીં રહેવા માટે આવ્યા હતા, અને પોતાની પુત્રીના ઘેર સાથે જ રહે છે. દરમિયાન ગઈકાલે સાહિલ ભારદ્વાજ અને તેના પત્ની સુનીતાબેન વચ્ચે ઝઘડો થયો હતો.

જે ઝઘડામાં આખરે પત્ની સુનીતા અને તેની સાસુ જ્યોતિએ સાહિલ ભાઈને ધાકધમકી આપી હતી, અને આ ફ્લેટ અમારો છે, તું અહીંથી ચાલ્યો જા, તેમ કહીને ઘરમાંથી કાઢી મુક્યા હતા, અને સાહિલભાઈના સાસુ તેને મારવા દોડ્યા હોવાથી ઘર છોડીને પોતાના મિત્ર પાસે મોડી રાત્રે પહોંચ્યા હતા.

જે સમગ્ર બનાવ બાબતે સીટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. ત્યાં તેમણે પોતાને ધાક ધમકી આપી ઘરમાંથી કાઢી મુકવા અંગે પોતાના પત્ની સુનિતા અને સાસુ જ્યોતિબેન સામે ફરિયાદ નોંધાવી છે. અનિતાબેને પોતાના ભાઈ સેખર કે જે તેના વતનમાં રહે છે, તેને બોલાવીને જાનથી મરાવી નાખીશ તેમજ તને અને તારા પરિવારને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી પણ ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે પત્ની સુનીતાબેન અને સાસુ જ્યોતિબેન સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨, અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને PSI વંસતભાઈ ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.