જામનગરમાં પરમાર ક્ષત્રિય સમાજ “મૂળી ચોવીસી” નો પ્રથમ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

0
1012

પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસીનો પ્રથમ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ તેમજ આદર્શ જીવન ઘડતર થાય તે માટે સમાજે કટિબદ્ધતા દર્શાવી..દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૫.જામનગર શહેરમાં વસતાં મૂળી ચોવીસીના ક્ષત્રિય પરમાર પરિવારોનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ શહેરના ગીતા મંદિર ખાતે તા.13/11/21 ના રોજ યોજાયો હતો.જેમાં સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિત રહી હતી.સમાજનાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તમામ ક્ષેત્રે મૂળી ચોવીસીના વિદ્યાર્થીઓનું ઉત્થાન થાય તે દિશામાં કાર્ય કરવા સર્વેએ કટિબદ્ધતા દર્શાવી હતી.કાર્યક્રમમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓ ને ભેટ અર્પણ કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ કોઈપણ જરૂરિયાતમંદ વિદ્યાર્થી હોય તેના અભ્યાસ ની જવાબદારી ઉપાડવાની સમાજે હામી ભરી હતી.આ પ્રસંગે પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી ગુજરાતના મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમાર, પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી ગુજરાતના ઉપ પ્રમુખ વિક્રમસિંહ પરમાર, મૂળી ચોવીસીના જામનગર શહેર પ્રમુખ પરમાર રવિરાજસિંહ નરેન્દ્રસિંહ-(પાંડવરા), પરમાર સહદેવસિંહ મુંજુભા-ઉપપ્રમુખ (નાયાણી પા), પરમાર દિલીપસિંહ અનિરુદ્ધસિંહ-ઉપપ્રમુખ (દરબાર પા), પરમાર ઇન્દ્રજીતસિંહ-ઉપ પ્રમુખ મૂળી ચોવીસી, પરમાર વિરેન્દ્રસિંહ-મદદનીશ માહિતી અધિકારી, પરમાર વનરાજસિંહ-C.A, પરમાર દાદભા-આર.ટી.ઓ પરમાર રઘુવીરસિંહ ભરતસિંહ – મંત્રી (નાયાણી પા), પરમાર કુલદીપસિંહ ભુપેન્દ્રસિંહ – સહમંત્રી (કુકડા), પરમાર મયુરધ્વજસિંહ મહિપતસિંહ – ખજાનચી (મુંજપર), પરમાર ક્રિપાલસિંહ રણજીતસિંહ – કારોબારી સભ્ય (ગોદાવરી), પરમાર ગીરીરાજસિંહ મહાવીરસિંહ – કારોબારી સભ્ય (મુંજપર), પરમાર મહેન્દ્રસિંહ હિંમતસિંહ – કારોબારી સભ્ય (દરબાર પા), પરમાર રામદેવસિંહ ફતેસિંહ – કારોબારી સભ્ય (લીમલી પા), પરમાર ગજેન્દ્રસિંહ રણજીતસિંહ – કારોબારી સભ્યશ્રી (દાણાવાળા), પરમાર અભિજીતસિંહ (મૂંજપર) વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.