જાનનગરના ”જુના નાગના” ગામના સરપંચને સસ્પેન્ડ કરતા ખળભળાટ

0
2539

જુના નાગનાના સરપંચને પદ પરથી શા માટે હટાવવામાં આવ્યા…જાણો?

જામનગર:જુના નાગનાના સરપંચ હરિલાલ રણછોડભાઈ નકુમને સસ્પેન્ડ કરાયા.

ભ્રષ્ટાચારના આક્ષેપ સરપંચ વિરુદ્ધ સાબિત થતાં જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા આદેશ..

દેશ દેવી ન્યુઝ જામનગર 17. જામનગરના શહેરના નવાગામ ઘેડ પાછળ આવેલ જુના નાગના સરપંચ તરીકે સોંપવામાં આવેલ કાર્યો અને ફરજો બજાવવામાં સદંતર નિષ્કાળજી અને બેદરકારી દાખવી ગંભીર પ્રકારની ફરજચૂક તથા દોષીત માનસ સહ ગેરવર્તણુંક તેમજ ભ્રષ્ટાચાર, સરકારી નાણાની ઉચાપત કરેલ હોવાનું સાબિત થતા લેવાયું પગલું.

હરીલાલ રણછોડભાઈ નકુમ સરપંચ ગ્રામ પંચાયત, જુના નાગના, તા.જામનગર, તેઓને સરપંચ તરીકે સોંપવામાં આવેલ કાર્યો અને ફરજો બજાવવામાં સદંતર નિષ્કાળજી અને બેદરકારી દાખવી ગંભીર પ્રકારની ફરજચૂક તથા દોષીત માનસ સહ ગેરવર્તણુંક તેમજ ભ્રષ્ટાચાર, સરકારી નાણાની ઉચાપત કરેલ હોવાનું સાબિત થાય છે. જેથી આ કામે નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.

મિહીર પી. પટેલ (IAS) જિલ્લા વિકાસ અધિકારી-જિ.પં.જામનગર, ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭(૧) ની જોગવાઈ મુજબ મળેલ સત્તા અને અધિકારની રૂએ ઉપરોક્ત વિગતે કરેલ ચર્ચા મુજબ સરપંચ હરીલાલ રણછોડભાઈ નકુમ, ગ્રામ પંચાયત-જુના નાગના તા.જામનગરને તાત્કાલિક અસરથી સરપંચ પદેથી દુર કરવા હુકમ કરવામાં આવે છે.