સાત રસ્તા નજીક કેનાલમાંથી લાપતા યુવતિનો મૃતદેહ મળી આવતા ખળભળાટ

0
2237

જામનગર શહેરના સાત રસ્તા નજીક ઝુપડપટ્ટીમાં રહેતી લાપતા યુવતિનો મૃત્તદેહ મળી આવતા ચકચાર 

યુવતી શનિવારથી ગુમ થયા અંગેની પરિવારે પોલિસમાં જાણ કરાઈ હતી. 

યુવતીનું નામ:- સોનુબેન ભોલાભાઈ દેવી પુજક ઉ-વર્ષ-૧૮ હોવાનું તારણ. દેશ દેવી ન્યુઝ 08. જામનગર શહેરના 7 રસ્તા  PGVCL નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતી સોનુબેન ભોલાભાઈ દેવી પુજક ઉ-વર્ષ-૧૮ યુવતિનો મૃતદેહ પડ્યા હોવાની જાણ થતા પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

યુવતિની ઓળખ થતા યુવતિ શનિવારના રોજ લાપતા બની હતી અને માનસિક અસ્થિર મગજની હોવાની તેની દવા પણ ચાલુ હતી પરિવારે નજીકના પોલીસ સ્ટેશને લાપતા થયાની જાણ પણ કરવામાં આવી હતી.કેનાલમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસે ફાયરની મદદથી મૃતદેહને બહાર કાઢી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ સાથે જ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ધમભા ઝાલા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.