જામનગરના ભણગોર ગામે અપરણિત યુવતીનો રહસ્યમય સંજોગોમાં આપધાત

0
3901

લાલપુર નજીક ભણગોર ગામમાં અપરણિત યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંષા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ ફેબ્રુઆરી ૨૪ જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના ભણગોર ગામમાં રહેતી ૧૮ વર્ષની અપરણિત યુવતી એ ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુરના ભણગોર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ વશરામભાઈ મેરાણી નામના ખેડૂત ની ૧૮ વર્ષ ની અપરણિત પુત્રી નિરજાબેન ઉર્ફે નિકિતાબેન મનસુખભાઈ મેરાણી એ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો, જેથી તેણીને બેશુદ્ધ અવસ્થામાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે લાલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતક ના પિતા મનસુખભાઈ મેંરાણીએ પોલીસને જાણ કરતાં લાલપુરના એ.એસ.આઈ. ડી.સી. ગોહિલ મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.