ખંભાળિયામાં સર્વિસ રિવોલ્વરથી પોલીસ જમાદારની આત્મહત્યાથી ચકચાર

0
1824

ખંભાળિયામાં સર્વિસ રિવોલ્વરથી પોલીસ જમાદારની આત્મહત્યાથી ચકચાર

ચાર બાળકીઓએ પહેલા માતા ગુમાવી, હવે પિતાની છત્રછાયા પણ ગુમાવતા નોંધારી બનીદેશ દેવી ન્યુઝ ખંભાળિયા: દેવભૂમિ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની ભાગોળે દ્વારકા ઘોરીમાર્ગ પર ખોડીયાર મંદિર પાછળના ભાગે શુક્રવારે બપોરે હેડ કોન્સ્ટેબલે સર્વીસ રીવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ પોલીસ કર્મચારી કલ્યાણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનુ સામે આવ્યુ છે.પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની ભાગોળે દ્વારકા હાઇવે પર આવેલા ખોડીયાર માતાજી મંદિર પાછળના ભાગે શુક્રવારે બપોરે પોલીસ કર્મચારી પ્રવિણભાઇ વાઘેલાએ રીવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીઘો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડેય અને ઉચ્ચ અધિકારીઓ સહિતની પોલીસ ટીમ પણ તુરંત ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. મૃતક પોલીસ કર્મચારી કલ્યાણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનુ સામે આવ્યુ છે.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક પોલીસ કર્મચારી ખંભાળિયા પંથકના વતની હતા અને હાલ કલ્યાણપુર પોલીસ મથકમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનુ સામે આવ્યુ છે.જયારે તેના પત્નીનુ પણ કોરોના કાળ દરમિયાન મૃત્યુ નિપજયાનુ જાણવા મળ્યુ છે.આ બનાવના પગલે ચાર માસુમ બાળકીઓએ પિતાની પણ છત્રછાયા ગુમાવતા ભારે અરેરાટી સાથે શોકનુ મોજુ ફરી વળ્યુ છે.જયારે આ બનાવના પગલે પોલીસ બેડામાં પણ શોકની લાગણી છવાઇ છે.