જોડિયાના આણંદા ગામમાં માવતરે રોકાવા આવેલી પરિણીતાની આત્મહત્યા

0
4189

જોડિયાના આણંદા ગામમાં માવતરે રોકાવા આવેલી પરિણીતાની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ મે ૨૩ જામનગર  જોડિયા તાલુકાના આણંદા ગામમાં માવતરે રોકાવા આવેલી યુવતીએ અગમ્ય કારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

ધ્રોલ તાલુકાના સગાડિયા ગામમાં રહેતાં જલ્પાબેન ભૂપતભાઈ બાંભવા (ઉ.વ.23) નામની પરિણીત યુવતી તેણીના માવતરે જોડિયા તાલુકાના આણંદા ગામમાં રોકાવા આવી હતી. તે દરમિયાન સોમવારે સાંજના સમયે અગમ્યકારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં યુવતીને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કિશનભાઈ ઝાપડા દ્વારા જાણ કરાતા પીએસઆઈ રવિરાજસિંહ.ડી.ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારણ જાણવા તપાસ આરંભી હતી.