જામનગર નવાગામ ઘેડમાં શ્રમિક કોળી યુવાનનો આપધાત

0
2751

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા શ્રમિક યુવાનને અગમ્ય કારણોસર કર્યો આપઘાત 

દેશ દેખી ન્યુઝ જામનગર તા.૧૬ મે ૨૩, જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પંચાયત ઓફિસ ની પાછળના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ મકવાણા નામના 35 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘેર લાકડાની આડસમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ ને નીચે ઉતાર્યા પછી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે તેણે ક્યાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.