લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં ઝેરોક્ષની દુકાન ચલાવતા વેપારીનો આપધાત

0
3396

લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં ઝેરોક્ષ ની દુકાન ચલાવતા વેપારીનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આપઘાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ જુલાઈ ૨૪  જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા અને કોમ્પ્યુટર-ઝેરોક્ષ ની દુકાન ચલાવતા એક વેપારીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા અને કોમ્પ્યુટર તેમજ ઝેરોક્ષ ની દુકાન ચલાવતા ચંદ્રેશભાઇ જેતશીભાઈ ગાગીયા નામના ૩૨ વર્ષના આહીર જ્ઞાતિના વેપારી યુવાને ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાઝ જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અરજણભાઈ જેતશીભાઈ ગાગિયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાડેજા ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને વેપારીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેઓએ કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે ઊંડાણપૂર્વક ની તપાસ શરૂ કરી છે.