જામનગરમાં સફાઈ કામદાર ના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કમિશનરને રજૂઆત

0
1958

જામનગર મહાનગર પાલિકાના સફાઈ કામદારો ના નીતિ વિષયક પ્રશ્ન નું નિરાકરણ લાવવા કમિશનર ને રજૂઆત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૮ જુલાઈ ૨૪, જામનગર મહાનગરપાલિકા ના સોલિડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા સફાઈ કામદારો નાં નીતિ વિષયક પ્રશ્નોનું નિરાકરણ લાવવા ની માગણી સાથે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન ના અમિત પરમાર તથા મહેશ બાબરીયા ની આગેવાનીમાં સફાઈ કામદરો દ્વારા મ્યુનિસિપલ કમિશનર ને પઠવાયેલ આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે , બીટ માપણી મુજબ સફાઈ કામદાર ના સેટઅપ માં વધારો કરવો , વેઠ પ્રથા બંધ કરવી , બીમાર અને અશક્ત કર્મચારીના વારસદારને તેમજ મૃત્યુ ના કેસ માં રહેમરાહે વારસદાર ને નોકરી આપવી , મુકાદમ માટે સિનયોરિટી લીસ્ટ ને ધ્યાનમાં લેવું , જૂની પેન્શન પ્રથા અમલમાં લાવવી સાહિત ની માંગણી નો નિકાલ લાવવો જરૂરી છે.જો ૧૫ દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સફાઈ કામગીરી બંધ કરી ને હડતાલ પાડવામાં આવશે. તેવી પણ ચીમકી આપવામાં આવી છે.