જામનગરના લાલબંગલા વિસ્તારમાં “ખાણી-પીણી” ના વેપારીએ કરોડોનું ફુલેકુ ફેરવી ખાટી લસ્સી પાઇ પલાયન

0
3871

નાણાં લેનાર દુકાનદારે ચારેક મહિનાથી વ્યાજબંધ કરતા રોકાણકારોમાં દોડધામ.. ઢીંકો માર્યો હોવાનો અહેસાસ..કરોડપતી થવાની “રાહ” જો ‘નારના ઓરતા અધુરા ..

નાણાં આપનાર ઘણા લોકો તો રાત્રીથી ઘરની બહાર કારમાં “વાટ” જોઈને બેઠા છે..!

દુબઇમાં રોકાણ કરી તગડા વ્યાજની લાલચ આપી જામનગરમાં અનેકને શીશામાં ઉતાર્યા ! ચકચાર

જામનગરની નામાંકિત વીમા કંપની સહિતના અંજન્ટો સલવાયા..મુંગી…મનમાં…જાણે..

આધાર વગર નાણાં આપનારને રોવાનો વારો: નાણા આપનારના ઘરે ધક્કા શરૂ..

રોકાણકારોને કરોડોનો ધુંબો : દુકાનદાર શહેર છોડી ચાલ્યા ગયાની ચર્ચા , નાણાં પરત મેળવવા આટાંફેરા..

દેશ દેવી ન્યુઝ જામનગર : 14.જામનગરના એક દુકાનદારે દુબઇમાં રોકાણ કરી તગડા વ્યાજની લાલચ આપી અનેક શહેરીજનોનને શીશામાં ઉતાર્યાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. કારણ કે , નાણાં લેનાર દુકાનદારે ચારેક મહિનાથી વ્યાજ આપવાનું બંધ કરતા રોકાણકારોમાં દોડધામ મચી ગઇ છે . દુકાનદાર શહેર છોડી ચાલ્યા ગયાની ચર્ચા એ શહેરભરમાં જોર પકડ્યું છે.

શહેરના લાલ બંગલા વિસ્તારમાં દુકાનદારે 2 થી 3 વર્ષ પહેલાં દુબઇમાં રોકાણ કરી 7 ટકા જેટલું તગડું વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી નાણાં લીધા હતાં , શહેરના ડોકટર વેપારીઓ ,  વીમા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ રૂ . 20 થી 55 લાખ સુધીની રકમનું રોકાણ કર્યું હતું..

દુકાનદારે શરૂઆતમાં રોકાણકારોને 7 ટકા વ્યાજ આપ્યું હતું . પરંતુ ચારેક મહિનાથી વ્યાજ બંધ કરતા રોકાણકારોમાં દોડધામ મચી ગઇ છે.