જામનગરમાં સોની વેપારીઓની હડતાળ:હોલમાર્કિંગ યુનિક આઇડીના વિરોધમાં જ્વેલર્સની સજ્જડ હડતાલ

0
407

જામનગરમાં સોની વેપારીઓની હડતાળ

દેશભરમાં હોલમાર્કિંગ યુનિક આઇડીના વિરોધમાં જ્વેલર્સની સજ્જડ હડતાલ : કરોડોની લે-વેચ અટકી પડી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: સોનાના ઘરેણા ઉપર હોલમાર્કીંગની યુનિક આઇડી એટલે કે, એચ.યુ.આઇ.ડી.ને લઇને જ્વેલર્સ ભારે નારાજ છે જેનો પડઘો પાડવા આજે જ્વેલર્સે દેશમાં એક દિવસની હડતાલ પાડી છે.

જ્વલર્સનું કહેવું છે કે હોલમાર્ક તો ઠીક છે પણ એચ.યુ.આઇ.ડી કોઇપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ગુજરાતના જ્વેલર્સ પણ હડતાલમાં જોડાયા છે.

માત્ર ગુજરાતમાં જ એક દિવસની હડતાલથી રૂ. 500 કરોડનું ખરીદ – વેચાણ અટકી ગયું છે. પ્રતિક હડતાળ બાદ પણ સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો સંગઠન દ્વારા વધુ રજૂઆત પણ કરવામાં આવશે.

જામનગર હોલમાર્કના અમલીકરણ સામે જવેલર્સની હડતાળ છે 16 જુનથી સુવર્ણના આભુષણો ઉપર હોલમાર્કિંગ ફરીજયાત કરવામાં આવ્યુંછે. તેની સાથે દરેક દાગીના પર એચયુઆઇડી માર્ક લગાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે.એચયુઆઇડી બીએસીકે ના નારા સાથે જવેલર્સએ એક દિવસના બંધનું એલાન આપ્યું છે.

જામનગરના જવેવર્સનું સુવર્ણકારોનું બંધને સમર્થન આપ્યું છે. સોની બજાર ચાંદી બજાર સોની વેપારીઓએ સજજડ બંધ પાળ્યો છે.

જામનગરની સુવર્ણ આદ્યોગીક એસો. ગુજ. સુવર્ણકાર સુરક્ષા સેતુ અને ગોલ્ડ એસોસીએશન ધ્રોલ જવેલર્સ દ્વારા બંધને સમર્થન આપ્યુ઼ છે.

સોની બજારના અગ્રણીઓના જણાવ્યા મુજબ ગ્રાહકોને ટ્રેક કરવા ઉપરાંત આ કાયદામાં ઇન્સ્પેકટર રાજ આવી જાય તેવી સંભવના છે અને જ્વેલર્સ સામે આકરી સજા અને તેનું લાયસન્સ રદ્દ કરવાની પણ જોગવાઇ હોવાને કારણે આ કાયદાના ડરથી જ્વેલર્સને પોતાનો ધંધો બંધ કરી દેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.