જામનગરમાં પાનની પીચકારી મારવાની ‘ના’ પાડતા સિંધી વૃદ્ધાને માર પડ્યો

0
4981

જામનગરમાં પાનની પીચકારી મારવાની ના પાડતા સિંધી વૃદ્ધાને માર પડ્યો : 4 મહિલા સામે ફરિયાદ

  • વૃદ્ધા ઉપર હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ : VIdeo થયો વાયરલ
  • આરોપી: (૧) છાયા પ્રભુભાઈ વશીયર (૨) રીટા કલ્પેશ વશીયર (૩) ક્રિષ્ના અમીતભાઈ વશીયર (૪) અજાણી સ્ત્રી

દેશ દેવી ન્યુઝ તા.૨૧ સપ્ટેમ્બર ૨૩ જામનગર : જામનગર શહેરના સાધના કોલોની પાછળ, સીધ્ધીવિનાયક સોસાયટી શેરીનં-૧૦માં રહેતા ભગવતીબેન નેમરાજ તુનુમલ ગ્યાનચંદાણી (ઉ.વ.૬૪) નામના વૃધ્ધતેમજ સાહેદે ઘર પાસે પાનની પીચકારી મારવાની ના પાડતા આરોપીઓ છાયા પ્રભુભાઈ વશીયર, રીટા કલ્પેશ વશીયર, ક્રિષ્ના અમીતભાઈ વશીયર અને એક અજાણી સ્ત્રીએ ઉશ્કેરાઈજઈને અપશબ્દો બોલીને વૃધ્ધાને ધક્કો મારીને હાથમાં ટચલી આંગળીમાં ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આથી વૃદ્ધાને તાત્કાિલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

હાલ સીટી -એ ડિવિઝન પોલીસે આઈપીસી- કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ આર. ડી ગાંભવાએ હાથ ધરી છે.