કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2021ના શ્રેષ્ઠ તપાસના એવોર્ડ માટે જામનગરના ASP નીતીશ પાંડેયનની પસંદગી.

0
513

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2021ના શ્રેષ્ઠ તપાસના એવોર્ડ માટે જામનગરના એએસપી નીતીશ પાંડેયન ની પસંદગી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2021 ના સર્વ શ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેશન ના એવોર્ડ માટે જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ એન્ડ ટોળકી સામે ગુજસીટોક પ્રકારની સફળતા પૂર્વક તપાસ ચલાવનાર જામનગરના જ એએસપી નિતેશ પાંડે નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે જામનગરના અધિકારીની એવોર્ડ માટે પસંદગી થતાં પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તરફથી 2021 ના ઉત્કૃષ્ટ કામગીરી માટે સર્વશ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ દેશભરમાં એનાયત કરવામાં આવે છે.જેમાં રાજ્યના છ પોલીસ અધિકારીઓ સહિત 152ને એક્સિલન્ટ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ આપવામાં આવશે.

જેમાં જામનગરના એએસપી નિતેશ પાંડે ની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા જામનગર પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી સાથી અધિકારી દ્વારા એએસપીને અભિનંદન પાઠવ્યા હતા.

જ્યારે ગુજરાતના છ અધિકારીનો સમાવેશ થયો છે તેમાં જામનગરના એસપી દીપેન ભદ્રના સીધા માર્ગદર્શન હેઠળ જામનગરના એસપી નીતેશ પાંડે કે જેમણે ખાસ કરીને કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ગેંગ ના ગુજસીટોક પ્રકરણમાં કરેલી ઉત્કૃષ્ટ મેં કડક કામગીરી કરી તપાસ બદલ કેન્દ્રીય કક્ષાના આ એવોર્ડ માટે સન્માનિત કરવા પસંદગી કરવામાં આવ્યા છે.