ખંભાળિયામાં ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા સતવારા તરુણીની આત્મહત્યા

0
427

ખંભાળિયા: ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા તરુણીની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા : ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક સતવારા પરિવારની 16 વર્ષીય પુત્રીએ માતાના ઠપકાથી વ્યથિત થઈ, આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ડાયાભાઈ ચોપડા નામના સતવારા આસામીની સોળ વર્ષીય પુત્રી શિવાનીબેનને તેણીના માતાએ જન્માષ્ટમીના તહેવાર આવતા હોય, શિવાનીને ઘરકામ માટે કહ્યું હતું. જે અંગે માતાના ઠપકાથી તેણીને મનમાં લાગી આવતા શિવાનીએ ગઈકાલે શુક્રવારે સાંજે પોતાના હાથે પોતાના ઘરના રૂમમાં જઈ અને ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.

જેથી રાત્રીના આશરે આઠેક વાગ્યે તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

મૃતક શિવાનીને એક ભાઈ તથા એક મોટી બહેન હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. આ બનાવની જાણ મૃતકના પિતા હસમુખભાઈ ચોપડાએ અહીંની પોલીસને કરી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.