જામનગરમાં આજે સાંસદ ના જન્મદિવસ નિમીતે સંતો મહંતોએ આશીર્વાદ પાઠવ્યા

0
185

જામનગરમાં આજે સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે ઓશવાળ સેન્ટર ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનો પ્રારંભ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ સપ્ટેમ્બર ૨૪ ,જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે આજે તા. ર૩/૦૯/૨૦૨૪ ના રોજ ઓશવાળ સેન્ટર, જામનગર ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલનારા આ કેમ્પમાં નામાંકિત નિષ્ણાંત તબીબો દ્વારા રોગનું નિદાન કરી જરૂરી દવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પમાં જામનગરના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કેમ્પનો લાભ લેવા અને રક્તદાન કરીને જરૂરિયાતમંદો માટે નવજીવન આપવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

જેમાં અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ, નગરના શ્રેષ્ઠીઓ, વેપારીઓ, તેમજ રક્ત દાતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને સાંસદ પૂનમબેન માડમને શુભકામનાઓ પાઠવી હતી, ઉપરાંત બહોળી સંખ્યામાં રક્તદાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું. જ્યારે જામનગર શહેર જિલ્લાના અનેક જરૂરિયાતમંદ નાગરિકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો છે.