જામનગરમાં ખીજડા મંદિરનાં જિર્ણોદ્ધારનું અક્ષય તૃતીયા પર ખાતમુહૂર્ત
-
મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજનાં સાંનિધ્યમાં જામસાહેબ સહિતનાં મહાનુભાવો દ્વારા શીલા પૂજન
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ મે ૨૪, ‘છોટીકાશી’ જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની આદ્યપીઠ શ્રી ૫- નવતનપુરી ધામ ખીજડા મંદિરનો ૪૦૦ વર્ષ પછી જિર્ણોદ્ધાર થવા જઇ રહ્યો છે. આજે અક્ષય તૃતીયાનાં પરમ શુકનવંતા દિને ખીજડા મંદિરનાં મહંત શ્રી આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજનાં આશિષછત્ર હેઠળ શીલાપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.