જામનગરમાં દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે

0
2066

જામનગર મા સિંધી સમાજ દ્વારા રાવણનાં પૂતળાંનું દહન કરાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૩ ઓક્ટોબર ૨૩, જામનગર મા મંગળવારે સિંધી સમાજ દ્વારા વિજયા દશમી ની ઉજવની કરવા મા આવશે.સાંજે રાવણ નાં પૂતળાં નું દહન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.મંગળવાર તાં. ૨૪ નાં જામનગર મા સિંધી સમાજ દ્વારા શહેર નાં પ્રદર્શન મેદાન મા સાંજે ૬:૩૦ કલાકે રાવણ નાં પૂતળાં દહન નો કાર્યક્રમ યોજાશે જેમાં પ્રણામી ધર્માચાર્ય આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ આશીર્વચન પાઠવશે.જ્યારે મુખ્ય મહેમાન તરીકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી , મેયર વિનોદ ખીમસૂર્યા ,શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, ડેપ્યુટી મેયર. ક્રિષ્નાબેન સોઢા, સાસકપક્ષના નેતા આશિષ જોષી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા ઉપસ્થીત રહેશે.