જામનગર 1404 આવાસમાં વિરોધ કરતાં યુવાનની અટકાયત વેળાએ દોડધામ

0
6111

જામનગરના ૧૪૦૪ આવાસ ખાલી કરાવતા સમયે એક વ્યક્તિએ વિરોધ દર્શાવતાં પોલીસ દ્વારા અટકાયત કરાઇ

  • મહાનગરપાલિકાના તંત્ર દ્વારા મક્કમપણે ડિમોલેશન ની પ્રક્રિયા હાથ ધરાઈ : વિજ તંત્ર એ બે બિલ્ડિંગ ના વીજ જોડાણ કટ કર્યા

  • ગભરાયેલા યુવાનને ગાડી બેસાડતા અચાનક પોલીસવાન માંથી ભાંગી છુટતા ભારે દોડધામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ જૂન ૨૪, જામનગરમાં નગરપાલિકા દ્વારા ૧૪૦૪ આવાસમાં આજે બે બ્લોક ખાલી કરાવાયા હતા, જેમાં એક રહેવાસી વ્યક્તિ કે જેણે વિરોધ દર્શાવ્યો હતો, અને બ્લોકમાંથી બહાર નહીં નીકળતાં અને બફાટ કરતાં આખરે સીટી સી. ડિવિઝન પોલીસ દ્વારા તેની અટક કરી લેવામાં આવી હતી, અને તેને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જોકે તે નશા ભરેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળી રહયું છે.

મહાનગરપાલિકા દ્વારા આજે બે બ્લોક ખાલી કરાવ્યા પછી પીજીવીસીએલ ની ટીમને બોલાવીને બંને બિલ્ડીંગના વિજ જોડાણ કટ કરાવી તેમાં લગાવેલા વીજ મિત્રો વગેરે ઉતરાવી લીધા છે, તેમજ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇન ના કનેક્શન કટ કરી લેવાયા છે, અને સ્થાનિક રહેવાસીઓનો તમામ માલ સામાન કાઢાવી લેવાયો છે.બપોર બાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બંને બિલ્ડીંગમાં ડીમોલિશન હાથ ધરાયું હતું