જામનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રૌઢની આત્મહત્યા

0
5560

જામનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રૌઢની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ તા.૩૦ ઓગસ્ટ ૨૩ જામનગર: જામનગરમાં પાણાખાણ શેરી નંબર -7 માં રહેતા રામનિવાસ નાથુરામ રામ નામના 55 વર્ષના પરપ્રાંતિય આધેડ ગઈકાલે જામનગરની થી પસાર થતી રેલવે લાઇન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે, અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મનજીરામ કુંજીબીહારી રામ કે જે મૃતકના તે સંબંધી છે, તેમણે પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકની પુત્રીનું સગપણ થઈ ગયું હતું, અને લગ્ન કરવાના બાકી હતા, પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી પુત્રીના લગ્નનો ભાર ઝીલી શકે તેમ ન હોવાના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યુ છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.