જામનગરમાં જયાપાર્વતીના વ્રતમાં ખોટા ઉજાગરા કરનારા લુખ્ખા રોમિયો ઉપર પોલીસની લગામ: કઈકની આબરૂ ગઈ

0
2168

જામનગરમાં જયાપાર્વતીના વ્રતમાં ખોટા ઉજાગરા કરનારા રોમિયો પાસે ઉઠ-બેસ કરાવી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૬ જુલાઈ ૨૨ : જામનગરમાં ગઈકાલ રાત્રે જયાપાર્વતીના જાગરણ નિમિત્તે લાખોટા તળાવ પર શુકવારે દિવસ ઉગ્યો હોય તેમ મોટી સંખ્યામાં યુવતી, મહિલાઓ તેમના પરિવાર સાથે ફરવા ઊમટી પડ્યા હતા, ત્યારે જાગરણમાં કારણ વગર ઉજાગરા કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી લાખોટા તળાવ રોડ ફરતે તેમજ રણજીતસાગર, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના ફરવાના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો દરમિયાન Dysp જયવિરસિંહ ઝાલા શહેરના સીટી-એ-બી-સી ના Pl તથા PSI સહિતના કાફલાએ રાતે કોઇ યુવતી, મહિલાઓની છેડતી ન કરે તે માટે બાઇક પર નીકળતા રોમિયોને અટકાવી ઉઠ-બેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું સાથે સાથ કાળા કાચ સાથે નિકળતા ફોર વ્હીલરમાં નિકળતા કેટલાય નબીરાની ફિલ્મ ઉતારી લેવાઈ