સોમનાથ સોસાયટીમાં “દરબાર” નો “દરબાર” પર હુંમલો 2 સામે પોલીસ ફરિયાદ

0
1719

જામનગરની સોમનાથ સોસાયટી વિસ્તારમાં યુવાન ઉપર બે શખસનો હુમલો.

દેશ દેવી ન્યુઝ 25.જામનગર: જામનગરમાં સોમનાથ સોસાયટી શેરી નંબર -2 માં રહેતા ગીરીરાજસિંહ નટુભા જાડેજા નામના 30 વર્ષીય યુવાને પોતાના ઉપર હુમલો કરી ઇજા પહ ેંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તે જ વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ બાલુભા ચુડાસમા અને મયુર સિંહ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદીના મોટા ભાઈના ઘર પાસે ઉપરોક્ત બન્ને આરોપીઓ વિક્રમસિંહ અને મયુરસિંહ અપશબ્દો બોલતા હોવાથી તેઓને રોકવા જતાં બન્ને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા, અને આ હુમલો કરી દીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જે મામલે સીટી-સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.