જામનગરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન નો કાર્યક્રમ યોજાયો

0
1955

જામનગરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આયોજિત પ્રાંત પ્રવેશ શિક્ષા વર્ગ અંતર્ગત પથ સંચલન નો કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ મે ૨૪, જામનગર શહેરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત નો પ્રવેશ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે, જે અંતર્ગત આજે રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનો દ્વારા પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૦ થી પણ વધુ રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનો જોડાયા હતા.જામનગર શહેરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ૧૫ દિવસ માટેનો સૌરાષ્ટ્ર પ્રાંત પ્રવેશ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે, તે અંતર્ગત આજરોજ પથ સંચાલનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પથ સંચલન સાંજે ૬.૦૦ વાગ્યે રણજીત નગર પટેલ સમાજથી શરૂ થઈ, જૂનો હુડકો, નવા નગર બેંકની સામે ગલી, રૂપિયાનો સિક્કો સર્કલ, પ્રાર્થના એપાર્ટમેન્ટ, લીલાશાહ ધર્મશાળા, ભગવતી હોસ્પિટલ, એસ.ટી રોડ, મયુર મેડિકલ વાળી ગલી માંથી ફરી પટેલ સમાજમાં પરિપૂર્ણ થયું હતું. જે પથ સંચાલનના માર્ગ પર ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. સફેદ અને શ્યામ ગુલાબી પટાવાળી સાડીના ડ્રેસમાં સજ્જ થઈ ને ૧૦૦ થી વધુ બહેનો પથ સંચલનમાં જોડાયા હતા.