જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારની પરણિતાએ ‘ફિનાઈલ’ પીધું

0
6499

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતી પરણીતાએ પોતાના સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીધું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ મે ૨૪, જામનગરમાં પંચેશ્વર ટાવર નજીકના વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી જઈ ફીનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે તેણીના પતિ સાસુ અને સસરા સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક આણદાબાવા ચકલા પાસે પાઠક ફળીમાં રહેતી જાનકીબેન પરેશભાઈ વોરા નામની ૩૭ વર્ષની પ્રજાપતિ કુંભાર યુવતીએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી જઈ ફીનાઈલ પી લેતાં તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને જાનકીબેન નું નિવેદન નોંધ્યું હતું.જેમાં તેણીએ પોતાના પતિ પરેશભાઈ વોરા, સસરા નવીનભાઈ વોરા, અને સાસુ હર્ષિદાબેન વોરા ના ત્રાસ ના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવતાં ત્રણેય સામે આઇ.પી.સી. કલમ ૪૯૮ (અ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ  પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.