જામનગર જીલ્લા પોલીસવડા દ્વારા વધુ એક બદલીનો ઘાણવો : 2- LCB માં મુકાયા.

0
1596

જામનગર જીલ્લા પોલીસવડા દ્વારા વધુ એક બદલીનો ઘાણવો: અનાર્મ પોલીસ કર્મચારીઓની બદલી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૭.: જામનગર જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રન દ્વારા વધુ એક વખત બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

જેમાં જામનગર જિલ્લામાં ચાર અનાર્મ પોલીસ કર્મચારીઓની બદલી કરી છે જેની વિગત નીચે મુજબ છે.

1.જામનગર સીટી-એ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અનાર્મ હેડ કોન્સ.અશોક દાનાભાઇ સોલંકીની જામનગર એલસીબીમાં બદલી..

2.જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતાં રામાભાઇ રણમલભાઇ સીડાની લાલપુર પોલીસ સ્ટેશનમાં બદલી..

3.જામનગર સીટી-એ પોલીસ સ્ટેશનમાં અનાર્મ હેડ કોન્સ. તરીકે ફરજ બજાવતાં ખીમાભાઇ હાજાભાઇ ભોચીયાની જામનગર એલસીબીમાં બદલી..

4. લાલપુર પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતાં હિતેશ જગદીશભાઇ મકવાણાની જામનગર સીટી-સી પોલીસ સ્ટેશનમાં બદલી..

આ તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે તેમના હાલના ફરજ પરથી છુટા કરવા બદલીના ઓર્ડર દ્વારા હુકમ કરાયો છે.