રાજ્યમાં એક-બાજુ ગમગીની અને બીજી બાજુ જામનગરમાં ”સ્નેહમિલન” ના તાયફા.

0
4117

સ્નેહમિલન” : મોરબીની દુર્ઘટનાથી ગુજરાતમાં શોક : જામનગરમાં આપનું સ્નેહ મિલન સાથે ભોજન.

  • જામનગરમાં આમ આદમી પાર્ટીનું હોલીડે રિસોર્ટમાં ભવ્ય સ્નેહમિલન યોજાયું
  • મોરબીની દુર્ધટનાને લઈ તમામ જ્ઞાતિ ભોજન અને રાજકીય સ્નેહમિલન કાર્યક્રમો રદ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૧ નવેમ્બર ૨૨  જામનગર જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ દોંગાના અધ્યક્ષસ્થાને હોલિડે રિસોર્ટમાં આપનું સ્નેહમિલન યોજાયું બીજી બાજુ મોરબીની દુર્ઘટનામાં સમગ્ર રાજ્યના સરકારી અને રાજકીય કાર્યક્રમો રદ થયા છે ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીનું “સ્નેહમિલન” અને ભાવતા ભોજનની મીજબાની યોજાતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર વ્યાપી છે.મોરબીની દુર્ધટના લઈ સમગ્ર રાજ્ય શોકમય બન્યું છે. સરકારી તેમજ રાજકીય સ્નેહમિલન સહીતના કાર્યક્રમો અને જલારામ જંયતિમાં જ્ઞાતિ ભોજન રદ કરાયા છે. ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીનું હોલીડે રિસોર્ટમાં ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું સાથે ભાવતા ભોજનની મીજબાની માણતા રાજ્કીય વર્તુળોમાં સારી એવી ચર્ચા જાગી છે તો બીજી બાજુ લોકોમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે રોષ જોવા મળી રહ્યો છે.જામનગર જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ દોંગા દ્વારા આ સ્નેહમિલન અને ભવ્ય ભોજન સંભારમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીની ઘટના અંગે કોઈ કોમેન્ટ નહીં કરવા જણાવ્યું હતું.