જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સ્થળ નિરીક્ષણ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ

0
2622

જામનગર માં વડાપ્રધાન ના આગમન પૂર્વે સ્થળ નિરીક્ષણ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ

દેશ દેવી ન્યૂઝ જામનગર તાં. ૨૭ એપ્રિલ ૨૪ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. બી જી મે ના રોજ જામનગર માં આવી આવનાર હોય આથી આજે જામનગરના અધિકારી અને પદાધિકારીઓ દ્વારા સભાસ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.લોકસભાની ચૂંટણી માં પ્રચાર પ્રસાર નું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ના સમર્થન માટે જાહેર સભાને સંબોધન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૨ મે નાં રોજ જામનગર આવી રહ્યા છે .તેઓ સાંજે ૫ વાગે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભા ને સંબોધન કરશે. તેમના આગામન ને અનુલક્ષી ને.આજે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા , રાજકોટ રેન્જનાં આઇ જી.આશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું એ સભા સ્થળ નું સુરક્ષાના નાં કારણો સર નિરીક્ષણ કર્યું હતું