ચાંદી બજાર લાલબાગ પાસે રહેતા નિલેશ વ્રજલાલભાઈ માંડલિયા ઉપર બે શખ્સનો હિચકારો હુમલો

0
1198

જામનગરના રણજીતસાગર રોડ નજીક યુવાન પર હિચકારો હુમલો: બે સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના ચાંદી બજાર, લાલબાગ ખાતે રહેતા નિલેશ વ્રજલાલભાઈ માંડલિયા ઉંમર વર્ષ 33 નામના સોની યુવાને ગઈકાલે સીટી-એ ડિવિઝન માં રણજીતસાગર રોડ પર આવેલ અટલ બિહારી વાજપાઇ ભવન ફ્લેટ નંબર બી 503 ખાતે રહેતા વસંત ધનજી નાખવા, ફ્લેટ નંબર સી 406 ખાતે રહેતા રમેશ જગજીવન ફલીયા નામના બે શખ્સો સામે આઇ.પી.સી કલમ 323, 504,506( 2),114 જીપીએ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યા મુજબ ગત તારીખ 31 ના રોજ રણજીતસાગર રોડ ઇવા પાર્ક પાસે આવેલા અટલબિહારી વાજપાઇ ભવનના વિઝીટર પાર્કિંગમાં આરોપીઓને ફરિયાદીએ પોતાની માલિકીની મોટરસાઇકલ પરથી નીચે ઉતરી જવાનું કહ્યું હતું.

આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ફરીયાદી નિલેશભાઇ સાથે માથાકૂટ કરી અપશબ્દો બોલી બંને આરોપીઓએ બાજુમાં પડેલા પ્લાસ્ટિક ના પાઇપ વડે હુમલો કરીને ફરિયાદીને મૂઢ ઇજાઓ પહોંચાડી હતી તેમજ બીજી વાર અહીંયા દેખાયો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપીને બંને એ એકબીજાને મદદગારી હતી.