જામનગરમાં બેડીગેઈટ પાસેથી નવજાત શિશુ મળી આવ્યું : શંકાસ્પદ માતાની પુછપરછ 

0
3904

જામનગરમાં બેડીગેઈટ પાસેથી નવજાત શિશુ મળી આવ્યું : શંકાસ્પદ માતાની પુછપરછ 

  • સીટી બી ડિવિઝન ગણતરીની કલાકોમાં આખી ઘટના ઉપરથી પરદો ઉંચકશે 
  • રીસામણે બેસેલ મહિલાએ પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દીધું.!!

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ જુલાઈ ૨૩ જામનગર શહેરના ત્રણ દરવાજાથી બેડીગેઈટ બાજુ જવાના રસ્તે વહેલી સવારે ત્યજી દેવાયેલ એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને શકમંદ માતાની પુછપરછ કરવામાં આવી રહી છે.

આ બનાવની મળતી વિગતો મુજબ શહેરના ત્રણ દરવાજાથી બેડીગેઇટ જવાના રસ્તા ઉપર ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવ્યું હતું. સીટી બી ડિવિઝન પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને નવજાત શિશુનો કબ્જો સંભાળીને સારવારમાં પહોંચાડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જેથી પોલીસે કોઈ અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને ત્યજીને પલાયન થઈ ગઈ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી હતી.

પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને એક શંકાસ્પદ મહિલાને પકડી લીધી છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. ટૂંકમાં જ પોલીસ આખી ઘટના ઉપરથી પરદો ઉંચકશે. વધુમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે મહિલા છેલ્લા બે વર્ષથી રીસામણે બેઠેલી છે અને છુટાછેડા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.