જામનગર પંચેશ્વર ટાવર પાસે ગરબી સંચાલકની ફડાકાબાજી સામે છરીબાજી

0
7751

જામનગરના પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં ગરબીના સંચાલક સહિત બે યુવાનો ઉપર છરી વડે હુમલો 

  • સંચાલક ભાલાભાઇએ યુવતીઓ અને મહિલાઓ હોવાથી ફોટા પાડવાની ના પાડતા દુષ્યંતસિંહ અને ભાવિરાજસિંહ નામના બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ
  • જાહેરમાં થતી નવરાત્રીના માહોલમાં સંચાલકોએ પણ સયંમ જાળવવો જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે. જેને લઇ ઝઘડો ટાળી શકાય.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ સપ્ટેમ્બર ૨૨: જામનગર શહેરના પંચેશ્ર્વરટાવર પાસેની ગરબીમાં ગતરાત્રિના સમયે ફોટા પાડવાની ના પાડતા બે શખ્સોએ ગરબી સંચાલક સહિત બે વ્યક્તિઓ ઉપર છરી વડે હુમલો કરતા ગરબીમાં અફડાતફડી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.આ અંગેની વિગત મુજબ, કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રિનું શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બે વર્ષ બાદ યોજાતી ગરબી નિહાળવા શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. દરમિયાન જામનગર શહેરમાં પંચેશ્ર્વરટાવર પાસેની ગરબીમાં ગત રાત્રિના સમયે બે શખ્સો મોબાઇલમાં ફોટા પાડતા હોવાથી સંચાલક ભાલાભાઇ એ યુવતીઓ અને મહિલાઓ હોવાથી ફોટા પાડવાની ના પાડતા દુષ્યંતસિંહ અને ભાવિરાજસિંહ નામના બે શખ્સોએ ગરબી સંચાલક ભાલાભાઈ અને રવિ ઢાપા નામના બે યુવાનો ઉપર છરી વડે હુમલો કરતા ગરબીમાં નાશભાગ મચી ગઈ હતી. કરાયેલા હુમલામાં ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.