જામનગરના લાખોટા તળાવમાં મોતની છલાંગ મારનાર મૂસ્લિમ યુવાનની ઓળખ થઇ: પત્ની સાથે તકરાર બની કારણભૂત

0
691

જામનગરના લાખોટા તળાવમાં આત્મહત્યા કરનાર મૂસ્લિમ યુવાનની ઓળખ થઇ

પત્ની સાથે છેલ્લા બે મહિનાથી તકરાર થઇ હોવાથી પોતાને મનમાં લાગી આવતાં તળાવમાં ઝંપલાવી આપઘાતનું પગલું ભરી લીધાનું જાહેર થયું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના લાખોટા તળાવમાં ગઈકાલે બપોરે એક વાગ્યાના અરસામાં એક અજ્ઞાત યુવાને ઝંપલાવી દીધું હતું, અને તેનું તરત જ મૃત્યુ નીપજયું હતું. ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોલીસને સુપરત કર્યો હતો.

પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, દરમિયાન તેની ઓળખ કરી લેવામાં આવી હતી. અને મૃતક નું નામ ઈરફાનશા દાઉદશા શાહમદાર (ઉ.વ.25) અને નવીવાસમાં રહેતો હોવાનું તેમજ રીક્ષા ડ્રાઈવિંગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે મૃતકના મોટાભાઈ મોહસીનશા દાઉદશા નું નિવેદન નોંધ્યું હતું.

જેમાં તેણે આજથી બે મહિના પહેલા પોતાના ભાઈ ઈરફાનશા કે જેણે મૈત્રી કરાર કરેલા હતા. જે પત્ની સાથે વાંધો પડયો હતો, અને બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેનું મનદુખ રાખી ને આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.