જામનગર શંકર ટેકરીમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ : યુવાનની હત્યાનો પ્રયાસ

0
13213

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં હોળીની રાત્રે ખૂની ખેલ ખેલાયો: જુના મનદુખમાં એક યુવાનની હત્યાનો પ્રયાસ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ માર્ચ ૨૪, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં હોળીની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો, અને એક યુવાન પર જુની અદાવતનું મન દુઃખ રાખીને છરી વડે હુમલો કરી હત્યારનો પ્રયાસ કરાયો હતો. યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે હુમલાખોર આરોપીની શોધખો હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા સુનિલ નથુરામ દુધરેજીયા નામના યુવાન પર હોળીની રાત્રે ૧૨.૦૦ વાગ્યાના અરસામાં જૂની અદાવત નું મન દુઃખ રાખીને તે જ વિસ્તારમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદભાઈ પરમાર નામના શખ્સે પેટના ભાગે છરીના ઘા ઝીંકી દઈ ગંભીર ઇજા પહોંચાડી હતી. તેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તબીબો દ્વારા તેની સધન સારવાર કરવામાં આવી રહી છે.

આ હુમલા ના બનાવ અંગે સુનિલ ના કાકા રસિકભાઈ મનીરામભાઈ દુધરેજીયાએ પોતાના ભત્રીજા પર જૂની અદાવત નું મનદુઃખ રાખી ને આ હુમલો કરી ખૂનની કોશિશ કરવા અંગે પ્રકાશ ગોવિંદભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતાં સીટી સી. ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૩૦૭ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઈ રહી છે.ઇજાગ્રસ્ત તેમજ આરોપીને તાજેતરમાં દીપ સોંદરવા ના પુત્રના બાલમોવારા ના પ્રસંગમાં ઝઘડો થયો હતો, અને માથાકૂટ ચાલતી હતી. જેનું મનદુઃખ રાખીને આ જીવલેણ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.