લાખોટા મ્યુઝિયમ પર વીજળી પડતા 22 લાખથી વધુનું નુકસાન : સ્ટ્રક્ચર-લાઇટ સહિતના ઉપકરણો થયા ડેમેજ

0
1178

લાખોટા મ્યુઝિયમ પર વીજળી પડતા 22 લાખથી વધુનું નુકસાન નોં અંદાજ..

શનિવારે બપોરે 2:58 કલાકે વિજડી પડ્યાનો બનાવ.

ઈલેક્ટ્રીક લાઈટ,કેબલ અને સાઉન્ડને રૂપિયા ૧૭ લાખ જેવું નુકસાનનો તેમજ સ્ટ્રક્ચર પણ ધાણું ડેમેજ થયું છે.

સાઉન્ડ છના એમ્પ્લીફાયર, CCTV  કેમેરા થયા જમીન દોષ.

લાખોટા મ્યુઝિયમના સ્ટ્રક્ચર ડેમેજ થતા પ લાખ જેવું નુકસાન થયું છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : ૨૭. જામનગરમાં શહેરમાં શનિવારે બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે અતિ વરસાદ પડતા શહેરની શાન સમા લાખોટા મ્યુઝિયમ પર બપોરે ત્રણ વાગ્યાના અરસામાં વીજળી પડતાં ભારે નુકસાન થવા પામ્યું છે.

જામનગર શહેરમાં વીજળી પડવાના ઘણા બનાવો સામે આવે છે તેમાં ખાસ કરીને ટીવી, ફ્રીજ, ઘરઘંટી કૅમેરા જેવી અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉડી જવાની ફરિયાદ લોકોમાં ઉઠતી હોય છે. પરંતુ શનિવારે ગાજવીજ સાથે પડતાં વરસાદને કારણે જામનગરના લાખોટા મ્યુઝિયમ પર વીજળી પડતા ઘણું નુકસાન થવા પામ્યું છે સાથોસાથ મ્યુઝિયમમાં લાગેલ એમ્પ્લીફાયર ,સીસીટીવી કેમેરા, લાઈટ તથા ઘણું ખરું સ્ટ્રક્ચર ડેમેજ થવા પામ્યું છે લાખોટા મ્યુઝિયમને 22 લાખ વધુ નુકસાન થયું હોવાનું અંદાજે મનાઈ રહ્યું છે.

દેશ દેવી ન્યુઝે જામનગર મહાનગર પાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ ઓફિસર ભાવેશભાઈ જાનીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે મ્યુઝિયમને વીજળીથી બચાવા માટે બંને બાજુ ત્રાંબાના એરીસ્ટર હોવાના કારણે નુકસાની ઓછી થઈ બાકી લાખોટા મ્યુઝિયમની આખી સિસ્ટમ બળીને ખાખ થઈ જાત.

હાલ તો લાખોટા મ્યુઝિયમનું પરથી ખાટ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.