જામનગરમાં ટોળાએ બાંધણીના વેપારીની કાર સળગાવી દીધી : સામસામી ફરીયાદની તજવીજ

0
6530

જામનગર નજીક ધોરીવાવ પાસે બાંધણીના એક વેપારીની કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત : કાર ચાલક સામે ફરિયાદ નોંધાવા કાર્યવાહી

  • સામા પક્ષે કાર ચાલક વેપારી દ્વારા પોતાને ટોળાએ માર મારી કારને સળગાવી દઈ નુકસાની પહોંચાડ્યાની વળતી ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ જુન ૨૪, જામનગર નજીક ધોરીવાવ પાસે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને રિક્ષામાં બેઠેલી ચાર વ્યક્તિઓ ઘાયલ થઈ હતી, જે અકસ્માત મામલે કારના ચાલક જામનગરના બાંધણીના વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાવા કાર્યવાહી હાથ ધરાઈ છે, જયારે સામા પક્ષે કાર ચાલક દ્વારા પોતાને માર્યા બાદ પોતાની કારને સળગાવી નાખ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના બાંધણીના વેપારી જીતભાઈ શૈલેષભાઈ ભોજાણી કે જેઓ પોતાની કાર લઈને ધોરીવાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સામેથી આવતી એક રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો, અને રિક્ષામાં બેઠેલી ચાર વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જે અકસ્માત ના બનાવ બાદ કારચાલક જીત શૈલેષભાઈ ભોજાણી કે જેઓ પર ટોળાએ આવીને પથ્થર વડે હુમલો કરી દીધો હોવાથી પોતે સારવાર માટે હોસ્પિટલમાં ગયા હતા.ત્યારબાદ તેઓની કાર ને આગ ચાંપી દઈ સળગાવી નાખ્યા ની વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે પંચકોથી બી. ડિવિઝન ના પોલીસે કોન્સ્ટેબલ ડી.જી. ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.