જામનગરમાં સીનીયર યોગકોચ રાજેશ્રીબેન પટેલ દ્વારા સમૂહ સૂર્યનમસ્કાર નું આયોજન..

0
1384

જામનગરમાં સીનીયર યોગકોચ રાજેશ્રીબેન પટેલ દ્વારા સમૂહ સૂર્યનમસ્કાર નું આયોજન..દેશ દેવી ન્યુઝ જામનગર 21. જામનગર: ધરતી પર ઊર્જાના સ્ત્રોત હવા, પાણી, સૂર્ય વગેરેમાંથી સૂર્ય મુખ્ય છે તેના દ્વારા વધુ કરીને પ્રાણીજગત વધુ ઊર્જિત થાય છે. આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે પ્રાત:કાળ ના ઊગતા સૂર્યના કિરણો આપના શરીર પર વિશિષ્ટ ચિકિત્સાકીય અસર કરે છે.આપણાં પૂર્વજ મનુષ્યોએ વિશેષ શોધ અને સંશોધન દ્વારા જાણ્યું છે કે પ્રાત:કાળ ના સમયમાં સૂર્ય નમસ્કાર નો અભ્યાસ કરવાથી આપણાં શરીરને 24 કલાક ઉર્જાનું સ્ટાર જાળવી રાખવામા વિશિષ્ટ મદદ કરે છે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબજ ઉપયોગી સર્વાંગી વ્યાયામ છે સૂર્ય નમસ્કાર..કોરોના વાયરસની ચાલી રહેલ લહેર માં સૂર્ય નમસ્કાર ખુબજ ઉપયોગી છે તેમજ ગંભીર બીમારીથી પણ બચી શકાય છે જનહિત સ્વાસ્થયના હેતુને ધ્યાનમાં રખાતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના જામનગર જિલ્લા સિનિયર યોગ કોચ રાજેશ્રિબેન પટેલ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિતે સમૂહ સૂર્ય નમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ ટ્રેનરો, યોગ સાધકો, જોડાયા હતા અને સ્વાસ્થ્ય લક્ષી લાભ લીધો હતો.