લાલપુર : કડીયાકામ કરતો શ્રમિક યુવાન છત પરથી પટકાઈ જતા મોત

0
2259

લાલપુર નજીક મેઘના ગામમાં કડિયા કામની મજૂરી કરતા શ્રમિક યુવાનનું છત પરથી પટકાઈ પડતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ઓક્ટોબર ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મેઘના ગામમાં એક શ્રમિક યુવાનનું છત પરથી નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ થયું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના વતની મોહનભાઈ રામાભાઇ સાદીયા (ઉંમર વર્ષ ૪૫) કે જે લાલપુર તાલુકાના મેઘના ગામમાં મજુરી કામ કરવા માટે આવેલા હતા, અને તાજુદ્દીનભાઈ ખોજાની વાડીમાં મકાનની છત ઉપર કામ કરતા હતા, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ પડતાં ગંભીર ઇજા થવાથી સારવાર માટે તેઓને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ રવિભાઈ રામાભાઈ સાદીયા એ પોલીસને જાણ કરતાં લાલપુરના એ.એસ.આઈ. ડી. ડી. જાડેજા હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.