ખંભાળીયાની સગીરાને કોડીનારનો શખ્સ ઉપાડી ગયો

0
2501

ખંભાળિયામાં ફોસલાવીને સગીરાનું અપહરણ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૦૩ માર્ચ ૨૩ ખંભાળિયા: ખંભાળિયાના રાવલ પાળો વિસ્તારમાં રહેતા એક પરિવારની 14 વર્ષ 7 માસની વયની સગીર પુત્રીને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવડી ગામે રહેતો નીરવ ઉર્ફે નિલેશ પ્રતાપભાઈ ચૌહાણ નામનો શખ્સ ગત તારીખ 21 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઇરાદાથી પરિવારજનોના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે સગીરાના દાદાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી, સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.