ખંભાળિયામાં બાવાજી યુવાનને જામનગરના ‘કમલેશ રાજગોરે’ આપી હત્યાની ધમકી: 2 મહિલા સહિત 4 સામે ફરીયાદ

0
972

ખંભાળિયામાં બાવાજી યુવાનને હત્યાની ધમકી: ચાર શખસ સામે ફરિયાદ

જામનગરના કમલેશ રાજગોર 2 મહિલા સહિત 4 સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર : ખંભાળિયામાં રહેતા વીરૂગીરી સંજયગીરી ગોસ્વામી નામના 20 વર્ષના યુવાન સાથે કોઈ કારણોસર બોલાચાલી કરી, “તું અમારી સામે આવતો નહીં. નહીંતર તારી સામે ખોટા કેસ કરીશું”- તેમ જણાવી અને મોબાઈલ ફોન મારફતે મારી નાખવાની ધમકી આપવા સબબ અશ્વિનભાઈ દુધૈયા, મનાલીબેન અશ્વિનભાઈ દુધૈયા, પુનમબેન અશ્વિનભાઈ દુધૈયા તથા જામનગર ખાતે રહેતા કમલેશભાઈ રાજગોર ગામના ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે વીરૂગિરી ગોસ્વામીની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 507 તથા 114 મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.