જામનગર સ્કુલ પટ્ટાવાળાની આત્મહત્યાની કોશિષ પ્રકરણમાં 4 સામે ગુનોં

0
5646

જામનગરમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની સ્કૂલના પટ્ટાવાળાના આત્મહત્યાની કોશિષ પ્રકરણમાં પ્રમુખ સહિત ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૬ સપ્ટેમ્બર ૨૩ જામનગરમાં સેટેલાઈટ સોસાયટીમાં રહેતા અને જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના સેક્રેટરી ઉપરાંત ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મોહમ્મદ યુસુફ અબ્દુલ કરીમે ગત 7.9.2023 ના સાંજે જંતુનાશક પ્રવાહી પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જેને જી.જી. હોસ્પિટલમાં સમયસર સારવાર મળી ગઈ હોવાથી તેનો બચાવ થયો હતો, અને હાલ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. ઘટનાની જાણ થવાથી સીટી એ. ડિવિઝન પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં અન્ય ટ્રસ્ટીગણના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનું જાહેર થયું હતું.આખરે સીટી એ- ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર મોહમ્મદ યુસુફ પટણીની ફરિયાદના આધારે ટ્રસ્ટના પ્રમુખ રસીદભાઈ મોહમ્મદ હનીફ લુસવાલા, અન્ય ટ્રસ્ટી દસ્તગીર શેખ, મુસ્તાકભાઈ ખફી તેમજ અખ્તર ઉર્ફે મુનિયા બાદશાહ વગેરે સામે આઈપીસી કલમ 323, 504,506 અને 124 મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.