જામનગર રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું: જુવો VIDEO

0
1811

જામનગર રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું..

રાજપૂત સમાજ દ્વારા યોજાયો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ, અધર્મ સામે ધર્મના વિજયના અનેરો અવસર એટલે વિજયાદશમી.

  • જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા યોજાયો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ
  • દશેરાના પાવન પર્વના દિવસે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ.
  • રાજપૂત સમાજે ધાર્મિક વિધિવિધાન મુજબ તેમના શસ્ત્રોની પૂજા કરી
  • પાંડવોએ આજના દિવસે કર્યું હતું શસ્ત્ર પૂજન
  • પાંડવોએ ગુપ્તવાસ બાદ શમીવૃક્ષ પર સંતાડયા હતા શસ્ત્રો
  • પાંડવોએ સંતાડેલા શસ્ત્રો ઉતારીને તેનું શાસ્ત્રોકત રીતે પૂજનઅર્ચન કર્યુ હતુ
  • ત્યારથી દર વર્ષે દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાય છે.

દેશ દેવી ન્યુઝ તા.oપ ઓક્ટોબર ૨૨ શ્રીરામચંન્દ્ર ભગવાને અસુરોને મહાત કરવા માટે રાવણ સાથે યુદ્ધ શરૂ કર્યું હતું. તેના દસમાં દિવસે વિજય મેળવ્યો હતો. તેના ઉપલક્ષમાં દેશભરમાં દશેરાની ઉજવણી થાય છે. રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે.રણભૂમિમાં દાનવોને હણવામા સાથ આપનાર શસ્ત્રોનું રાજપૂત સમાજ દ્વારા શુભ મુહુર્તમાં પૂજન અર્ચન કરવામાં આવે છે.જામનગર દશેરાના પાવન પર્વે શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ છે. ત્યારે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દશેરાએ ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ રાજપૂત સમાજે ધાર્મિક વિધિવિધાન મુજબ તેમના શસ્ત્રોની પૂજા કરી હતી.આ પ્રસંગે ધારાસભ્ય હકુભા જાડેજા, જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપુત સમાજના પ્રમુખ પીએસ જાડેજા, નવલસિંહ જાડેજા(ફગાસ), સી.આર જાડેજા (વાડીનાર) માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ જાડેજા, રાજપૂત યુવા સંઘ પ્રમુખ જગદીશસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, પુથ્વીરાજસિંહ ઝાલા, વિજયસિંહ જેઠવા, દિલીપસિંહ જેઠવા (પાણી પુરવઠા બોર્ડ ) રાજપૂત સંગઠનના પ્રમુખ રૂષિરાજસિંહ જાડેજા (મોડા), પ્રવિણસિંહ જાડેજા (PA), રાજશક્તિ ટ્રાવેલ્સના મહાવીરસિંહ રાણા, દેશ દેવી ન્યુઝના તંત્રી પ્રદ્યુમનસિંહ જાડેજા (વાડીનાર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.