છેલ્લા 21 વર્ષથી મારામારીના કેસમાં ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

0
820

છેલ્લા 21 વર્ષથી મારામારીના કેસમાં ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

જામનગર: જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ. નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ.શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીગમા હતા દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા તથા લખધીરસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે ધ્રોલ પોલીસ સ્ટેશન ના ફર્સ્ટ ગુના નંબર-2/2000 મ2એ કલમ 325,114 વિગેરેના કામે નાસતો ફરતો આરોપી ભાવસિંગભાઇ ટીહીયાભાઇ બારીઆને કાલાવડ ખાતેથી પકડી પાડી આરોપીને આગળની કાર્યવાહી કરવા માટે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી, તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા મહિપાલભાઇ સાદિયા તથા હેડ કોન્સ. અરવિંદગીરી તથા એલ.સી.બી. ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્રારા કરવામાં આવેલ છે.